Month: March 2019

રામ વાળાનું સ્થાનક કે સ્મારક જે ગણો એ..
RAKHADPATTI/પ્રવાસકથા

અંગ્રેજોએ જેને બહારવટિયો ગણ્યો હતો એ રામ વાળો તો આજેય વાવડીના પાદરમાં પુજાય છે, આખુ ગામ રામ વાળાનું નામ આદરપૂર્વક લે છે-5

રામ વાળાને એક સદી કરતા વધુ સમય થઈ ગયો. પરંતુ આજે પણ અહીં તેના નામના સિક્કા પડે છે. હતો તો રામ બહારવટિયો પણ એનું કામ પ્રજાનું રખોપું કરવાનું હતું. એટલે રામનું નામ લેતાં આજે પણ રૃવાડાં ઉભા થાય એમાં નવાઈ નથી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રામ વાળાની ખાંભી જ્યાં આવેલી છે એ જગ્યા બોરિયા ગાળા નામે જાણીતી છે, ત્યાં જવા જંગલમાં લાંબી સફર કરવી પડે-4

રામ વાળાની ખાંભી સુધી પહોંચવાનું કામ અઘરું હતું, ત્યાંથી ઉતરવાનું કામ વધારે અઘરું લાગ્યું. ભૂગોળની ભાષામાં જેને બોલ્ડર કહેવાય એવા લિસ્સા કદાવર (25-50-75 ફીટ ઊંચા) પથ્થર અહીં ઠેર ઠેર પડ્યા હતા. એ પથ્થર પરથી સાવધાની પૂર્વક ઉતરવું પડે. ધીમે ધીમે ઉતરીને કેડી પર આગળ ચાલ્યા. બે-ચાર મિનિટ પછી જ મંદિર દેખાયુ, કેટલાક પ્રવાસીઓ ત્યાં બેઠા હતા. અમે ગયા તો બાપુએ સ્વાગત કર્યું.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ખાનદાની બહારવટિયા રામવાળાએ જ્યાં પ્રાણ ત્યજ્યા હતા એ જગ્યાએ પહોંચવુ આજે પણ અઘરું છે, કઈ રીતે પહોંચી શકાય એ જાણો.. 3

. ત્રણેક કિલોમીટર ચાલવુ એ કંઈ મોટી વાત નથી, પણ જંગલમાં, પથ્થરો ખૂંદતા, સાંકડી કેડી પર ચાલવાનું હોય તો એ ઘણી મોટી વાત છે. એમ આસાનીથી ત્રણ કિલોમીટરનો રસ્તો પૂરો થતો ન હતો. એકાદ કલાક ચાલ્યા પછી તો એમ થયું કે ભૂલા નથી પડ્યા ને! પવન ફૂંકાય અને પાંદડા હલબલે ત્યારે પર્ણમર્મર સંભળાતો હતો. એ સિવાય કોઈ અવાજ ન હતો. રસ્તા પર દોરેલા ઈશારા જોઈને એ મુજબ ચાલતા હતા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જેસાજી અને વેજાજી રહેતા હતા એ મહેલ દિવસે કોઈને દેખાતો ન હતો : આજે પણ ત્યાં અવશેષો છે કોઈ બાંધકામ નથી-2

ત્યાં જે ખડક છે, તેમાં એક પ્રકારનો ગુંદર જામે છે. એ ગુંદરનું જાણીતું નામ શિલાજીત (શીલા પર ઉગતો ગુંદર) છે. કોઈ મનુષ્ય એ પાડી શકે એમ નથી, કેમ કે એવી કપરી જગ્યાએ ઉગે છે. વાંદરાઓ જ તેમને ખાઈ જતા હશે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

પાંચસો વર્ષ પહેલા ગુજરાતી બહારવટિયા જેસાજી-વેજાજી રહેતા હતા એ સ્થળ ક્યાં છે, કેવું છે? ચાલો ખાનદાનીની સફરે… – 1

જ્યાં કોઈ જતું ન હતું, એવા આ સ્થળે જઈને આ લોકોને શું કરવું હશે એ બધાને સવાલ થતો હતો. પણ ઘણી વખત જ્યાં કોઈ ન જતું હોય ત્યાંથી કંઈક મળે ખરા. આવા સ્થળોની મુલાકાત લેવા પાછળનો મારો ઈરાદો લખવા માટે નવી સામગ્રી મળે એવો હોય અને જંગલમાં નવું સ્થળ જોયાનો આનંદ થાય એવો પણ હોય. એટલે પછી ત્યાં શું હશે તેની પરવા કર્યા વગર નીકળી પડ્યા.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે? PERSONAL RAKHADPATTI/પ્રવાસકથા

અમેરિકા જવું છે, વિઝામાં પાસ થવું છે! તો વાંચો…

અમેરિકા જનારા અનેક લોકોના વિઝા રિજેક્ટ થતા હોય છે. અમેરિકાનું વિઝા ધોરણ સૌથી કડક છે. એ કડકાઈમાંથી પાસ કેમ થવું તેનું માર્ગદર્શન ગુજરાતી એડવોકેટ રમેશ રાવલે પોતાના પુસ્તક ‘અમેરિકાના વિઝિટર વિઝા : સવાલ-જવાબ’માં આપ્યુ છે.

Read More