Month: May 2018

RAKHADPATTI/પ્રવાસકથા

સફેદ રણ જોવુ હોય તો રણોત્સવને ભૂલી જાવ, ધોળાવીરા પાસે છે ગુજરાતનું સર્વોત્તમ ડેઝર્ટ!

કચ્છના ઘણા સ્થળો પ્રવાસનના નકશા પર ચમકી રહ્યાં છે.  જોકે ધોળાવીરાથી દસેક કિલોમીટર દૂર આવેલું વૂડ ફોસિલ (લાકડાના અવશેષો) પાર્ક ખાસ જાણીતો નથી. વળી બધા પ્રવાસીઓને તેમાં રસ પણ ન પડે. અલબત્ત, વૂડ ફોસિલમાં રસ ન હોય, પણ ધોળા રણમાં રસ હોય ત્યાં સુધી ધક્કો ખાવો રહ્યા. એક તરફ સફેદ રણ છે, વચ્ચે એક ડૂંગર […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

એરપોર્ટ પર જ દિવસો સુધી રહેવું પડે તો?

એમેરિકી જાસૂસ એડવર્ડ સ્નોડેને ક્યા દેશમાં રાજ્યાશ્રય લેવો એ નક્કી કરે ત્યાં સુધી મોસ્કો એરપોર્ટના ટ્રાન્ઝિટ ઝોનમાં જ રહેવુ પડશે. ભુતકાળમાં કેટલાક કિસ્સાઓ એવા બન્યા છે, કે જેમાં કેટલાક લોકોએ એરપોર્ટ પર જીંદગીનો ઘણો મહત્ત્વનો ગાળો પસાર કરવો પડયો હોય…    ન્યુયોર્કના જહોન એફ. કેનેડી એરપોર્ટ પર વિક્ટર નોવાર્સ્કી નામે પ્રવાસી આવે છે. પોતાના દેશ […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અઘોર નગારા વાગે-2: અત્યાર સુધી મેં કોઈ મહાત્માને સર્પના ચામડાની લંગોટી પહેરતા જોયા નહોતા

ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી.. ભાષામાં પ્રગટ થયેલા ‘અઘોર નગારા વાગે ભાગ-1’ અને (પહેલા ભાગની લિન્ક) સૌંદર્ય તેમનું અદભૂત લખાણ અને રજૂઆત છે. અઘોરપંથમાં માનો કે ન માનો, ચમત્કાર પ્રકારની ઘટનામાં વિશ્વાસ કરો કે ન કરો.. પણ વાંચો એટલે મજા આવે એટલું નક્કી છે. અગાઉની પોસ્ટમાં પહેલા ભાગની વાત કરી. હવે બીજા ભાગની શબ્દ સફર, એટલે […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અઘોર નગારા વાગે-1 : અઘોરી મહાત્માએ પોતાની ઝોળીમાંથી માનવખોપરી બહાર કાઢીને તેમાં કાવો લીધો!

અઘોરી સાધુની દુનિયા અનોખી છે. આપણી આસપાસ જ રહેતાં હોવા છતાં તેમનું વિશ્વ જુદું છે અને કેવું જુદું એ સામાન્ય રીતે આપણે સૌ સંસારી જાણી શકતા નથી. અઘોર પંથથી વાકેફ થવુ હોય તો અઘોર જગતમાં ઉતરવું પડે. અને એમ ન કરવું હોય તો પછી મોહનલાલ અગ્રવાલે લખેલા પુસ્તકો  ‘અઘોર નગારા વાગે’ ભાગ 1 અને 2 […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Stonehenge : ૫ હજાર વર્ષથી જે સ્મશાનનું રહસ્ય સળગે છે!

બ્રિટનમાં પાંચેક હજાર વર્ષથી ઉભેલુ સ્ટોનહેન્જ/Stonehenge નામનું અભિમન્યુના કોઠા જેવુ બાંધકામ ખરેખર શેનું છે તેનો કોઈ જવાબ મળતો નથી. હવે એટલી તો ખાતરી થઈ છે કે આજે વિખરાયેલુ અર્ધવર્તુળ એક સમયે ગોળાકાર હતુ. પરંતુ સ્ટોનહેન્જના બીજા અનેક ભેદ-ભરમ અનુત્તર છે.. ઈંગ્લેન્ડ (બ્રિટન)નો દક્ષિણ ભાગ. આમ તો પથ્થરોનું ખાસ માન-પાન હોતું નથી. વ્હિલ્ટશાયર પરગણામાં આવેલા પથ્થરો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

તનોટ/Tanot Mata : બોલો એવુ મંદિર જોયુ છે, જ્યાં પાકિસ્તાની તોપ-ગોળા પણ રખાયા હોય?

૧૯૭૧ના શિયાળામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઉનાળા જેવી ગરમી આવી હતી, જે હવે ૭૧નાં યુદ્ધ તરીકે ઓળખાય છે. યુદ્ધ વખતે જેસલમેર પાસે આવેલા તનોટ મંદિર/Tanot Mata વિસ્તારમાં ફેંકાયેલા સેંકડો પાકિસ્તાની તોપ-ગોળાઓ ફૂટયા વગરના રહ્યા હતાં, જે હવે ત્યાંના મંદિરમાં પ્રદર્શિત કરી રખાયા છે. એ વિજયની યાદમા દર વર્ષે ૪ ડિસેમ્બર ‘લોંગેવાલા ડે’ તરીકે ઉજવાય છે. નજર પડે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dwarka : ભગવાન કૃષ્ણની અસલ જન્મભૂમિ ક્યાં છે? ગુજરાતમાં આ સ્થળો ગણાય છે મૂળ દ્વારકા

કૃષ્ણનું સાચુ દ્વારકા ક્યું એ અંગે અનેક મતભેદો છે. અલબત્ત, ધાર્મિક આસ્થાના કેન્દ્ર તરીકે તો દ્વારકા શહેર જગપ્રસિદ્ધ થયું જ છે. પરંતુ વિવિધ સ્થળો દ્વારા પોતાનું ગામ કે શહેર જ મૂળ દ્વારકા/Dwarka હોવાના દાવાઓ વારંવાર થતાં રહ્યાં છે. આવા દ્વારકા મનાતા શહેરો ક્યા ક્યા છે અને શા માટે તે મૂળ દ્વારકા ગણાય છે? પોરબંદરથી ત્રીસેક […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગાના : સરદાર પટેલના સાસરિયામાં લટાર!

કરમસદ પાસે આવેલુ ગાના ગામ સરદાર પટેલનું સાસરું છે. સદ્ભાગ્યે ઝવેરબા જે ઘરમાં મોટા થયાં હતાં એ ઘર-ફળિયું.. સરદાર પટેલના ગામ-નામ-કામ વિશે આપણે વાકેફ છીએ એટલા તેના સાસરિયા વિશે કદાચ નથી. માટે ચાલો એ ગામની સફરે  જ્યાં 1892-93માં યુવાન વલ્લભભાઈનાં તોરણ બંધાયાં હતાં…   કરમસદના પાદરમાં સરદાર પટેલના પૂતળા સામેથી જ રસ્તો જાય છે. રસ્તો શરૃ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Rasmanch : ભારતમાં પણ આ સ્થળે પિરામિડ જેવું બાંધકામ આવેલું છે, બંગાળમાં આવેલા એ સ્થળની મુલાકાત

પિરામિડ એટલે ઈજિપ્ત અને ઈજિપ્ત એટલે પિરામિડ એવી વૈશ્વિક ઓળખ છે. પરંતુ ભારત પાસે પણ પોતાનો એક આગવો પિરામિડ છે. બંગાળના બિષ્ણુપુરમાં આવેલા અનેક પુરાતન બાંધકામો પૈકી રાસમંચ/Rasmanch નામનું એક બાંધકામ ભારતનો ઓછો જાણીતો પિરામિડ છે! ઢળતી સાંજ હવે અંધકાર તરફ આગળ વધી રહી છે. ચહુઓર દીપમાલા જળહળવી શરૃ થઈ ગઈ છે. રાત્રીના અંધકારને દીવડા-મશાલોની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ક્યોટો : હજાર વર્ષ જુનું હોવા છતાં જગતનું પહેલું સ્માર્ટ શહેર!

દસેક હજાર મંદિરો ધરાવતુ ક્યોટો બીજા વિશ્વયુદ્ધ વખતે અણુ હુમલાથી બચી ગયુ હતુ. જગતના સર્વશ્રેષ્ઠ શહેર તરીકેનો ખિતાબ જીતનારુ ક્યોટો અનેક રીતે પ્રેરણા લેવા જેેવુ છે. ૧૯૯૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણિય વિભાગની જાપાની શહેર ક્યોટોમાં મળી હતી. એ બેઠકમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૨ સુધીમાં કઈ રીતે વિકસિત દેશો પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછુ કરવા સંયમિત જીવન જીવશે તેની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જ્યાં રાતે ભૂત થાય છે એ રાજસ્થાનના કુલધરા નગરનો પ્રવાસ

રાજસ્થાનમાં જેસલમેર પાસે આવેલુ કુલધરા ગામ છેલ્લા બસ્સો વર્ષથી ખાલી પડયુ છે. માન્યતા પ્રમાણે પાલેવાળ બ્રાહ્મણોના શાપને કારણે એક જ રાતમાં ગામ ખાલી થયુ હતું. એવુ શું બન્યું હતું કે રહેવાસીઓએ પહેરેલે કપડે ઘર-બાર છોડીને જવું પડયું?     ગામના રસ્તા ખાસ્સા પહોળા છે અને બન્ને બાજુ જેસલમેરિયા પથ્થરથી બંધાયેલા મકાનોની હારમાળા છે. ૧૮૧૫માં બંધાયેલુ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 2)

ગુજરાતમાં ફરવા જેવા જાણ્યા-અજાણ્યા પ્રવાસન સ્થળોની વાત પહેલા ભાગ ગુજરાતના વન-વગડાની સફર- (ભાગ 1)માં કરી. હવે એવા બીજા કેટલાક સ્થળોની સફર..   ભરતવન (જૂનાગઢ) ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું […]

Read More