માથેરાન જતાં પ્રવાસીઓ માટે ગૂડ ન્યુઝ : 3 વર્ષ પછી ફરી શરૃ થઈ ટોય ટ્રેન

મહારાષ્ટ્રનું લોકપ્રિય હિલ સ્ટેશન માથેરાન ગુજરાતીઓમાં પણ પોપ્યુલર છે. ગુજરાતીઓ વીકએન્ડમાં ત્યાં જતા હોય છે. માથેરાનમાં એક સદીથી વધારે સમયથી ચાલતી ટોય ટ્રેન બહુ પોપ્યુલર છે. આ ટોય ટ્રેન છેલ્લા 3 વર્ષથી રિપેરિંગના કારણે બંધ હતી. હવે 22મી ઓક્ટોબરથી ફરી શરૃ કરી દેવાઈ છે.

આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે મહત્વની વિગતો જાણી લઈએ

  • આ ટ્રેન નરેલ અને માથેરાન વચ્ચે ચાલે છે.
  • રોજ બે વખત આ ટ્રેન બન્ને સ્ટેશન પરથી રવાના થશે.
  • નરેલથી રોજ સવારે 8.50 વાગ્યે અને બપોરે 2.20 વાગ્યે રવાના થશે. 8.50 વાગ્યે રવાના થનારી ટ્રેન 11.30 વાગ્યે જ્યારે 2.20 વાગ્યે રવાના થતી ટ્રેન 5 વાગ્યે પહોંચાડશે.
  • માથેરાનથી ફરી આવવા આ ટ્રેન બપોરે 2.45 વાગ્યે રવાના થઈ 5.30 વાગ્યે નરેલ પહોંચાડશે. માથેરાનથી બીજી ટ્રેન 4.20 વાગ્યે રવાના થશે અને 7 વાગ્યે નીચે પહોંચાડશે.
  • માથેરાન 800 મીટરની ઊંચાઈ પર છે. નરેલથી માથેરાન વચ્ચેનું અંતર તો 21 કિલોમીટર જેટલું જ છે, પરંતુ પહાડી માર્ગ હોવાથી અઢી કલાક જેટલો સમય સફર ચાલે છે.
  • માથેરાન વાહન મુક્ત હીલ સ્ટેશન છે. ત્યાં ટેક્સી વગેરે વાહનોની મનાઈ છે. માટે પ્રવાસીઓ વાહનમાં જાય તો પણ વાહનો દૂર મુકવા પડે છે. એટલે પ્રવાસીઓ આ રેલવે પસંદ કરે છે.
  • રસ્તામાં આ ટ્રેન અમન લોજ, વોટરપાઈપ અને જુમ્માપટ્ટી એ ત્રણ સ્ટેશનો પર રોકાય છે.
  • આ ટ્રેનનું ઓનલાઈન બૂકિંગ થતું નથી. સ્ટેશન પર જ પ્રવાસ વખતે બૂકિંગ કરાવવુ પડે છે.
  • હવે આ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરી દેવાયો છે. તેને કારણે પ્રવાસીઓ વેસ્ટર્ન ઘાટનું અસાધારણ સૌંદર્ય વધુ સારી રીતે માણી શકશે.
  • આ ટ્રેન 1907માં શરૃ થઈ હતી.
  • એક વખતમાં ટ્રેન અંદાજે 100 મુસાફરો સમાવી શકે છે. કેમ કે તેના કોચ નાના અને સાંકડા હોય છે. ટ્રેન પણ નેરોગેજ જ છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *