પટના જવા માટે અમદાવાદથી દોડશે હવે વધારાની ટ્રેન

મુસાફરોની સુવિધા અને તહેવારોની સિઝનમાં તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના-નડિયાદ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના અને ટ્રેન નંબર 09462 પટના -નડિયાદ [04 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના સ્પેશિયલ ગુરુવાર, 27 ઓક્ટોબર 2022 અને 3 નવેમ્બર 2022ના રોજ અમદાવાદથી 19.25 કલાકે ઉપડશે અને શનિવારે 00.30 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 પટના – નડિયાદ સ્પેશિયલ 29 ઑક્ટોબર, 2022 અને 5 નવેમ્બર, 2022ના રોજ 06.00 કલાકે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 10.15 કલાકે નડિયાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ અને પં. દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનો પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09461 માટે બુકિંગ 23 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *