ગુજરાતના આ બન્ને સ્ટેશનો પર રોકાશે ટ્રેનો, રેલવે મુસાફરોને મળશે લાભ

યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20949/20950 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ને આણંદ સ્ટેશન પર અને ટ્રેન નંબર 19217/19218 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ને વીરપુર સ્ટેશન પર 14 ઓક્ટોબર, 2022 થી છ મહિના માટે પ્રાયોગિક આધારે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

  1. ટ્રેન નંબર 20949/20950 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસને 14 ઓક્ટોબર, 2022 થી આણંદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

તે અનુસાર ટ્રેન નંબર 20949 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ 16.07 કલાકે આણંદ પહોંચશે અને 16.09 કલાકે ઉપડશે. આ જ રીતે ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 21.58 કલાકે આણંદ પહોંચશે અને 22.00 કલાકે ઉપડશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્રેન નંબર 20949 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ટેકનિકલ કારણોથી રદ છે અને ટ્રેન ફરી શરૂ થવા પર આણંદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે.

  1. ટ્રેન નંબર 19217/19218 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 14 ઓક્ટોબર, 2022 થી વીરપુર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

તે અનુસાર ટ્રેન નંબર 19217 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 04.00 કલાકે વીરપુર પહોંચશે અને 04.01 કલાકે ઉપડશે. આ જ રીતે ટ્રેન નંબર 19218 વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ- સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 13.52 કલાકે વીરપુર પહોંચશે અને 13.53 કલાકે ઉપડશે.

ટ્રેનો વિશે વિસ્તૃત માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *