અંગ્રેજોએ જેને બહારવટિયો ગણ્યો હતો એ રામ વાળો તો આજેય વાવડીના પાદરમાં પુજાય છે, આખુ ગામ રામ વાળાનું નામ આદરપૂર્વક લે છે-5

રામ વાળાને એક સદી કરતા વધુ સમય થઈ ગયો. પરંતુ આજે પણ અહીં તેના નામના સિક્કા પડે છે. હતો તો રામ બહારવટિયો પણ એનું કામ પ્રજાનું રખોપું કરવાનું હતું. એટલે રામનું નામ લેતાં આજે પણ રૃવાડાં ઉભા થાય એમાં નવાઈ નથી.